આભ વરસે તો હૂં છત્રી લઈ લઊ,
પણ નયન વરસે તો શું કરું ?
સિંહ ગરજે તો હું ભાગી યે જઊ,
પણ કોઇક નો અહંકાર ગરજે તો શું કરું ?
પગમાં કાટો ખટકે તો કાઢી લઊ,
પણ કોકની વાત મનમાં ખટકે તો શું કરું ?
પીડા છલકે તો હું ગોળી લઈ લઉ,
પણ વેદના છલકે તો શું કરું ?
રસ્તે દેખાઓ તો સામે થી બોલાવી લઉ,
પણ રસ્તો બદલી નાખો તો શું કરું ?
Comments
Post a Comment